👉 પોલિસીબજારના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો: ભારતીયો કેમ ખરીદે છે હોમ ઈન્સ્યોરન્સ?
👉 ભારતમાં હોમ ઈન્સ્યોરન્સ ખરીદવા માટે લોકોમાં જાગૃતિ તો છે, પરંતુ ખરીદીનું પ્રમાણ ઓછું હોવાના તારણો રસપ્રદ રિપોર્ટમાં રજૂ થયાં
રાજકોટ: આપણે કહીએ છીએ કે ઘર એ ફક્ત ચાર દીવાલો નથી, પરંતુ સપનાઓ અને સલામતીનો ગઢ છે. પણ શું આપણે આ ગઢને ખરેખર સુરક્ષિત રાખીએ છીએ? જ્યારે આકાશમાં કાળા વાદળો ઘેરાય છે અને વાવાઝોડાનો ભય મનમાં પેદા થાય છે, અથવા તો જ્યારે હોમ લોનના હપ્તાનું ટેન્શન માથે હોય, ત્યારે જ આપણને આપણા ઘરની સુરક્ષાની ચિંતા થાય છે. તાજેતરમાં પોલિસીબજારના એક રસપ્રદ રિપોર્ટે આ જ વાતને ઉજાગર કરી છે. રિપોર્ટ કહે છે કે ભારતમાં હોમ ઈન્સ્યોરન્સ ખરીદવા પાછળ કુદરતી આફતો અને હોમ લોન બે સૌથી મોટા પરિબળો છે, છતાં પણ જાગૃતિ અને ખરીદી વચ્ચે એક મોટી ખાઈ જોવા મળે છે.
આ રિપોર્ટનો સૌથી રસપ્રદ તારણ એ છે કે જે લોકોએ હોમ ઈન્સ્યોરન્સ વિશે જાણકારી મેળવી, તેમાંથી ફક્ત 39% લોકોએ જ તેને ખરીદ્યો. બાકીના 62% લોકો હજુ પણ અવઢવમાં હતા. આ અવઢવ પાછળના કારણો પણ ઘરની વાસ્તવિકતા જેવા જ છે.
શા માટે ખરીદદારો હજુ પણ અવઢવમાં છે?
સર્વે અનુસાર, હોમ ઈન્સ્યોરન્સ ખરીદવા માટે રસ દાખવનારા 39% લોકોએ જ ખરેખર પોલિસી ખરીદી હતી, જેમાં ઘરના માલિકોનું પ્રમાણ ભાડૂઆતો કરતાં વધુ હતું. જ્યારે 62% લોકો હજુ પણ અવઢવમાં હતા. આ અવઢવના કારણો પણ રસપ્રદ છે.
પોલિસીની પસંદગીની મૂંઝવણ (27%): ઘણા લોકો માટે, કઈ પોલિસી પસંદ કરવી તે સમજવું મુશ્કેલ હોય છે, કારણ કે તેમને પોલિસીઓની વિગતો અને શરતોની પૂરતી સમજણ હોતી નથી.
જરૂરીયાતનો અભાવ (23%): કેટલાક લોકો માને છે કે તેમને હોમ ઈન્સ્યોરન્સની જરૂર નથી, કારણ કે તેમણે ક્યારેય કોઈ નુકસાન કે આફતનો અનુભવ કર્યો નથી.
અગ્રતાનો અભાવ (18%): ઘણા રસ ધરાવતા ખરીદદારો પણ સમયસર નિર્ણય ન લઈ શકવાને કારણે અથવા અન્ય પ્રાથમિકતાઓને લીધે ખરીદી છોડી દે છે.
હોમ ઈન્સ્યોરન્સ લેવા પાછળનું ગણિત
જોકે, જે લોકોએ ખરીદી કરી તેમના કારણો સ્પષ્ટ હતા. 41% લોકો કુદરતી આફતો, 31% લોકો હોમ લોનનું રક્ષણ કરવા અને 30% લોકો ચોરી કે લૂંટથી બચવા માટે વીમો ખરીદે છે. પોલિસીબજારના અશ્વિની દુબે જણાવે છે કે, ‘લોકોના મનમાં ઈરાદો તો છે, પણ સ્પષ્ટતા અને સરળતાનો અભાવ તેમને પાછા પાડે છે. જો આપણે વીમા પોલિસીઓને સરળ બનાવીએ અને જાગૃતિ વધારીએ, તો દરેક ઘરને સલામતીનું કવચ મળી શકે છે.’ આ રિપોર્ટ એક રીતે આપણને બધાને પૂછે છે કે શું આપણા ઘરના સપનાઓનું રક્ષણ આપણે માત્ર નસીબ પર છોડી દેવું જોઈએ?












Leave a Reply